Friday, September 18, 2020

જ્ઞાતિને એકજૂથ કરીએ - તંત્રી શ્રી લુહાર દર્પણ, શ્રી નિર્મલભાઇ મકવાણા




આપણે સૌ દાદા વિશ્વકર્મા ના સંતાનો છીએ. આજે આપણો સમાજ શિક્ષિત અને સુખી સંપન્ન છે. આપણા સમાજમાં કુશળ કારીગરો, સાહિત્યકારો, સંગીતકાર, ડોક્ટર,એન્જિનિયર અને વકીલ જેવા અનેક ક્ષેત્રોમાં કામગીરી કરી રહ્યા છે. આપણા સમાજના સંતો ભક્તોના જીવન ચરિત્રો દ્વારા સમાજમાં સેવા સંગઠન કેમ કરવું? જ્ઞાતિ ગૌરવ કેમ વધારવું? ઈર્ષા અદેખાઈ જેવા દુષણો સમાજમાંથી દૂર કરવા. એવા દ્રઢ નિશ્ચય સાથે દાદા વિશ્વકર્મા તથા દાદા દેવતણખી ના આશીર્વાદથી યુવાન નિર્મલભાઇ મકવાણા ના હૃદયમાં કંઈક આવી જ વેદના ઊભી થઈ. આથી જ તેમણે લુહાર દર્પણ નામનું સાપ્તાહિક તારીખ સમાચાર પત્ર પ્રકાશિત કરવાનું નક્કી કર્યું. આ માત્ર ૧૫૦ રૂપિયા માં બાર માસના લવાજમ સ્વરૂપે અંક ઘરે ઘરે પહોંચતા કરે છે. આ ઉપરાંત આપણા સમાજની તમામ ખૂણે ખૂણે ની માહિતીઓ અંકોમાં પ્રકાશિત કરે છે અને જ્ઞાતિજનો સુધી પહોંચાડે છે.

સમાજના દરેક વ્યક્તિએ વાર્ષિક લવાજમ ભરી ઘરમાં એક સારું વાંચન મેળવી શકશો. ભાઈઓ-બહેનો તથા બાળકો વાંચીને આનંદિત થશો. અને જીવનમાં ઉપયોગી માહિતી મળશે. જે લોકો સમાજ સેવા કરી રહ્યા છે તેમને આપણે સૌ સાથે રહી તેમને પ્રેરણા,પ્રોત્સાહન અને આર્થિક મદદ કરીએ તો તેમને પણ એમ થાય કે આપણો સમાજ આપણી સાથે છે અને કામ કરવાની નવી ઊર્જા મળશે. સૌ ભાઈઓ ને નમ્ર અપીલ છે કે આપ સૌ લુહાર દર્પણ સાપ્તાહિક સમાચારપત્ર નું લવાજમ ફરી દેજો આપણા સમાજ સેવાયત સહભાગી બનશો. ધંધાદારી માણસો પોતાની ધંધાની જાહેરાત આપી સહભાગી બની શકે છે. આ ઉપરાંત આપ સૌ સારા લેખો કે સારી માહિતી મોકલાવી શકો છો.

નિર્મલભાઇ મકવાણા
તંત્રી શ્રી લુહાર દર્પણ
સાપ્તાહિક સમાચાર પત્ર
6351213767


ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : 9512171071
ઈમેલ - alvsindia@gmail.com 



Saturday, September 12, 2020

પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટિમ) તથા અખિલ ભારતીય વિશ્વકર્મા શિલ્પકાર મહાસભા દ્વારા સમસ્ત વિશ્વકર્મા સમાજ માટે અમદાવાદ કલેકટરને આવેદનપત્ર આપ્યા...




પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટિમ) તથા અખિલ ભારતીય વિશ્વકર્મા શિલ્પકાર મહાસભા દ્વારા તારીખ ૧૦/૦૯/૨૦૨૦ના ગુરુવારના રોજ અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં વિશ્વકર્મા સમાજ માટે બે માંગણી કરવામાં આવી છે.




પ્રથમ માંગણી છે કે વિશ્વકર્મા સમાજના જે લોકોની આર્થિક પરિસ્થિતિ બહુ જ ખરાબ છે તથા ભાડાના મકાનમાં રહે છે તેમના માટે ઘરની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે અને તેમના માટે રોજગારી ની પણ વ્યવસ્થા કરવામાં આવે.

બીજી માંગણી એ કરવામાં આવી છે કે તારીખ ૧૭ સપ્ટેમ્બર ને પૂરા ભારતમાં વિશ્વકર્મા પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવે અને ભારત સરકાર દ્વારા જાહેર રજા જાહેર કરવામાં આવે.



વિશ્વકર્મા સમાજ બહુ મોટો સમાજ છે પણ અત્યાર સુધી આ સમાજની અવગણના કરવામાં આવી છે. વિશ્વકર્મા સમાજનું ભારતના અર્થતંત્રમાં તથા ભારતના વિકાસમાં બહું જ મોટો સિંહફાળો છે. ભારત સરકારના મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ માં પણ વિશ્વકર્મા સમાજનો જ મહત્વ નો યોગદાન છે. હવે આ સમાજ સંગઠીત થઈ ને હવે સરકાર દ્વારા ૧૭ સપ્ટેમ્બરના દિવસને વિશ્વકર્મા પૂજન દિવસ તરીકે જાહેર કરવામાં આવે એવી માંગણી કરે છે.

ALVS ઈન્ડિયા ન્યુઝ 
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com