મોરબી શહેરમાં ચૈત્ર સુદ ૬, તારીખ: 27/03/23 સોમવારથી તારીખ: 29/03/23 બુધવાર સુધી રાત્રી નાં 09 થી 12 વાગ્યાં દરમિયાન સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી "લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના" નાં મોરબી જિલ્લા પ્રમુખશ્રી સાથે શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબીનાં કારોબારી સભ્ય અને શ્રી હનુમાન ચાલીસા કથાના યજમાનશ્રી
લુહાર શ્રી વિનોદભાઈ ભુદરભાઈ કવૈયા દ્વારા પોતાનાં સવગસ્થ પિતાશ્રી લુહાર સ્વ: ભુદરભાઈ મગનભાઈ કવૈયાનાં આત્મશાંતિ કલ્યાણ માટે શ્રી હનુમાન ચાલીસા કથાનું મોરબીનાં વાવડી રોડ પર, ઉમિયા પાર્ક પાછળ, સ્વાતિ પાર્ક ખાતે આયોજન કરેલ છે.
આ કથામાં મોરબીનાં પ.શ્રદ્ધેય પૂ. શાસ્ત્રીશ્રી નિખિલભાઈ જોષી પોતાનાં મધુર કંઠે કથાનું રસપાન કરાવી રહિયા છે.
જેમનો મોરબી પંથકના તથા બીજા ગામોના ધર્મપ્રેમી સમસ્ત લુહાર સમાજ જ્ઞાતિજનો અને મોરબીનાં વાવડી રોડ પરના ઉમિયા પાર્ક, સ્વાતિ પાર્ક, શિવમ પાર્ક, સત્યમ નગર, કુબેર નગર, ગાયત્રી નગર, સોમૈયા સોસાયટી, જનક નગર, મીરા પાર્ક વગેરે તમામ સોસાયટીઓ નાં શ્રોતા ગણોસાથે મોરબીની બીજા વિસ્તારની સોસાયટી ઓના રહીશોએ બહોળી સંખ્યામાં કથા શ્રવણનો લાભ લીધો હતો.
આ કથા દરમિયાન શ્રી હનુમાન પ્રાગટય ઉત્સવ દરમિયાન અન્નકૂટ દર્શન સાથે મનોહર દિવ્ય અવલોકિક દર્શન કહીયે તો શ્રી રામ, સીતા, લક્ષ્મણજી દર્શન ઝાંખી તથા શ્રી હનુમાન દર્શન વેષભુસા ધારણ કરાય હોઈ જેમણે કથા શ્રવણ કરવા પધારેલ દરેક લોકોના મન જીતી લીધાં હતાં
આ ઉત્સવ દરમિયાન લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેનાની મોરબી જિલ્લા કારોબારી સમિતિ સાથે મોરબી તાલુકા એને શહેર ટીમ દ્વારા મોરબી જિલ્લા પ્રમુખશ્રી જે કથાના યજમાન પણ છે તે બંને દંપતિ અને શ્રી વિનોદભાઈ કવૈયા નાં માતૃશ્રી લલીતાબેન નું પણ સન્માન કરવામાં આવ્યું હતું,
સાથે તાજેતર માં થોડાં દિવસો પેલાજ શ્રી વિનોદભાઈ ની જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હોઈ તે અનુસંધાને જિલ્લા પ્રમુખશ્રી નો નિમણુંક પત્ર પણ તેઓને એનાયત કરવામાં આવ્યો હતો.
આ તકે ત્યા LYS SS ગૃપ તરફથી પત્રકાર મયુરભાઈ પિત્રોડા, મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી વાસુદેવભાઈ રાઠોડ, મોરબી જિલ્લા યુવાબોર્ડ પ્રમુખશ્રી પરેશભાઈ રાઠોડ, મોરબી જિલ્લા બોર્ડ ટીમ મેમ્બર્સ શ્રી કિશોરભાઈ કવૈયા, મોરબી તાલુકા પ્રમુખશ્રી પરેશભાઈ પિત્રોડા,
મોરબી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળાનાં ટ્રસ્ટી ગોપાલભાઈ તથા રાજેશભાઈ મારૂ, મનસુખભાઈ રાઠોડ, રાજકોટ શ્રી લુહાર વિર્ધાર્થી ભુવન (રાષ્ટ્રીય શાળા પાસે) ટ્રસ્ટીશ્રી મનસુખભાઈ સોલંકી તથા મનીષભાઈ મારૂ વગેરે લુહારજ્ઞાતિ અગ્રણીઓ કથા સ્થળે કથાના યજમાન પરિવારનાં સન્માન સત્કાર સમારંભમાં હાજર રહ્યાં હતાં.
લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com
Cell - 9512171071