Monday, July 31, 2023

અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા સમસ્ત વિશ્વકર્મા લુહાર સમાજનાં સ્નેહમિલન -૧ ની સફળતાબાદ સ્નેહમિલન -૨ યોજાશે..






































અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ તાજેતરમાં તારીખ ૧૭/૦૭/૨૦૨૩ નાં રોજ યોજાયેલ સમસ્ત વિશ્વકર્મા લુહાર સમાજનું સ્નેહમિલન -૧ ની સફળતા બાદ સ્નેહમિલન -૨ તારીખ ૧૩/૦૯/૨૦૨૩ નાં રોજ સ્થળ -( શ્રી મચ્છુ કઠીયા લુહાર જ્ઞાતિ મંડળ.શ્રી વિશ્વકર્મા લુહાર વાડી ૧૦/૧૪ રણછોડનગર સોસાયટી.૧૫ નંબર સ્કુલપાસે કુવાડવા રોડ રાજકોટ.)સ્નેહમિલન -૨ માં ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને મહારાષ્ટ્ર નાં દરેક લોકોને આવરી લેવામાં આવશે. સ્નેહમિલન -૧ માં જેમણે ફોર્મ ભરેલ છે.તેઓએ ફોર્મ ભરવાની જરૂર નથી પરંતું જે નવા લોકો આવે એમને જ ફોર્મ ભરવાનાં છે.સ્નેહમિલન -૧ માં જે લોકો આવ્યાં હતાં તે લોકો આવશે.અને સાથે બીજા પાંચ વ્યક્તિને જાણ કરીને સાથે લાવે.સ્નેહમિલન ૨ નો સમય બપોરે ચાર (૪) થી (૭) સાત રહેશે.બહારગામથી આવતા દરેક લોકોએ પોતાનું નામ અને નંબર નોંધાવી લેવું જરૂરી છે. દિકરીઓ વાળાઓ તો ખાસ હાજરી આપે જેથી કરીને આપણા સમાજમાં દિકરીઓ તો છેજ પરંતુ દરેક દિકરીઓ નાં વાલીઓ સાથ સહકાર નથી આપતા.અને બાયો ડેટા નથી આપતા.એક ઘરમા દીકરો અને દીકરી બંને હોય પરંતુ દિકરીના બાયો ડેટા નથી મુકતા અને ફકત દીકરાનાં જ બાયો ડેટા મોકલે છે.દરેક સભ્યો આવુજ વિચારશે તો ફકત દીકરાનાં બાયો ડેટા થી કોઈ ઉકેલ લાવી શકાય નહીં. પ્લીઝ થોડો સહકાર આપવા વિનંતિ છે. જો દીકરીઓના વાલીઓ આગળ આવશે.તો આપણું કાર્ય સફળ થઈ શકશે.તો સમસ્ત વિશ્વકર્મા લુહાર સમાજને વિનંતી કરું છુ.કે સ્નેહમિલન કાર્યક્રમ સફળ બનાવવા માટે દીકરીઓનાં વાલીઓ આગળ આવશે.અને સાથ સહકાર આપે
અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ.

સ્નેહ મિલન સ્થળ
શ્રી મચ્છુ કઠીયા લુહાર જ્ઞાતિ મંડળ
શ્રી વિશ્વકર્મા લુહાર વાડી
૧૦/૧૪ રંછોડનગર સોસાયટી.
૧૫, નંબર સ્કુલ પાસે કુવાડવા રોડ રાજકોટ.

લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com
Contact: 9512171071



No comments:

Post a Comment