લુહાર સમાજ સમાચાર : બગસરા મા વિશ્વકર્મા યુવા કમિટી સમસ્ત લુહાર સમાજ દ્વારા સરસ્વતી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો જેમા વિદ્યાર્થી સન્માન સમારોહ માં ઉપસ્થિત રહેતા જૂનાગઢ થી ભારતી આશ્રમનાં મહામંડલેશ્વર 1008 પૂજય મહંતશ્રી હરિહરાનંદ બાપુ, સાંસદશ્રી ભરતભાઈ સુતરિયા, ધારાસભ્યશ્રી જે વી.કાકડીયા તથા શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ કોટડીયા સાથે તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર તથા બગસરા ના અલગ અલગ સંસ્થાઓના પ્રમુખો સહીત નામી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
જ્યારે સમસ્ત લુહાર સમાજના બહારથી આવેલા લુહાર સમાજના આગેવાનો તેમજ સમાજના ટ્રસ્ટીઓએ પણ વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી
આ વિદ્યાર્થી સન્માન સમારંભમાં L,K,G થી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા, વિદ્યાર્થી સન્માન સમારંભમાં જૉકે સમસ્ત લુહાર સમાજના આગેવાનો તથા શહેર ના લુહાર સમાજ ના લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી
વિશેષમાં આ શૈક્ષણિક સમારંભમાં લુહાર સમાજના લોકોએ જે બહાર કારકિર્દી મેળવી હોય તેવા લોકોને વિશ્વકર્મા એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવેલા અને વિદ્યાર્થી સન્માન સમારંભ વિશ્વકર્મા યુવા કમિટી તેમજ લુહાર સમાજ બગસરા દ્વારા ભારે જહમત કરી અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ
વિશેષમાં વિશ્વકર્મા એવોર્ડ દ્વારા ઇન્ટરનેશનલ ગાયક કલાકાર આશાબેન કારેલીયા, સમાજસેવક પરેશભાઈ પોરબંદર, કપિલ વાઘેલા વિગેરે મહાનુભાવોને વિશ્વકર્મા એવોર્ડ આપી તેમની કલાને બિરદાવાય હતી સરસ્વતી સન્માન સમારોહ ભોજન અને સંતોના આગમનથી ત્રિવેણી સંગમ ઉત્સવ રૂપે ઉજવવામાં આવ્યો હતો.
લુહાર સમાજ સમાચાર
(આપણો સમાજ, આપણા સમાચાર)
Email : alvsindia@gmail.com
Contact : 9512171071





No comments:
Post a Comment