Sunday, November 17, 2024

શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ-પ્રચાર સમિતિ રાજકોટની મુલાકાતે..

















































શ્રીવિશ્વકર્મા સાહિત્ય ધર્મ-પ્રચાર સમિતિના સંસ્થાપકશ્રી મયુરભાઈ મિસ્ત્રી તેમજ સમિતિના આગેવાનશ્રીઓ શ્રીહિતેષભાઇ સુથાર  તેમજ શ્રીજીગ્નેશભાઈ પંચાલ(એડવોકેટ), તેમજ શ્રીનિલેશ કનાડીયા તેમજ શ્રીકેતનભાઈ સોલગામા રાજકોટ સ્થિત વિશ્વકર્મા સમાજના વિવિધ અગ્રણીઓની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી


જેમાં ગજ્જર સમાજના શ્રીવિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રીરસિકભાઈ વાઘસણા તેમજ રાજકોટ દૂરદર્શન કેન્દ્ર ભૂતપૂર્વ અધિકારી શ્રીનવીનભાઈ પાટડિયા તથા SV NEWS ના ચીફ એડિટર શ્રીઉમેશભાઈ ગજ્જર જેઓ નિઃશુલ્ક SV ન્યૂઝચેનલ તેમજ માસિક ડિજિટલ પત્રિકા ચલાવી વિશ્વકર્મા સમાજની સકારાત્મક માહિતી સમાજ સુધી પહોંચાડી ખુબ ઉમદા કામ કરી રહ્યા છે તેમની પણ શુભેચ્છા મુલાકાત લેવામાં આવી 


તથા લુહાર અગ્રણી જાણીતા ઉધોગપતિ શ્રીવિશ્વકર્માદાદાના અનન્ય ભક્ત શ્રીઅશોકભાઈ રાઠોડ તથા સોની સમાજના અગ્રણી શ્રીરાજુભાઈ લોઢીયા તેમજ ભારત સુવર્ણકાર સેતુના સ્થાપક શ્રી નિલેશભાઈ લુંભાણી તેમજ અનિકેતભાઈની  વિશ્વકર્મા વિવિધ જ્ઞાતિ અગ્રણીની મુલાકાત બાદ શ્રી વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન દ્વારા આયોજીત શ્રી વિશ્વકર્મા પુરાણ કથા રાજકોટ રોયલ મેળા ગ્રાઉન્ડ ખાતે વક્તાશ્રી હિરેનભાઈ પંચાલશ્રી(અંજાર)ના મુખેથી ચાલી રહેલી  શ્રીવિશ્વકર્મા પુરાણ કથાનું રસપાન કર્યું 


તેમજ વ્યાસપીઠ પર બિરાજમાન વક્તાશ્રી હિરેનભાઈને શ્રીદિશાબેન વડગામાં દ્વારા તૈયાર થયેલ હેન્ડપેઈન્ટેડ શ્રીવિશ્વકર્મા પ્રભુનું ચિત્ર તેમજ શ્રીશિવકુમાર આર્ય દ્વારા લખાયેલ શિલ્પી બ્રાહ્મણ નામનો ગ્રંથ આપી સન્માન કરવામાં આવ્યું સમિતિના સભ્યોએ ખુબ ધન્યતાની લાગણી અનુભવી તેમજ શ્રીવિશ્વકર્મા પુરાણ કથાના આયોજકશ્રીઓએ શ્રીવિશ્વકર્મા સાહિત્ય ધર્મ-પ્રચાર સમિતિનું ખેસ તેમજ વિશ્વકર્મા દાદાની છબી આપવી સન્માન કરવામાં આવ્યું. 


કથાના આટલા સરસ આયોજન માટે શ્રીવિશ્વકર્મા સાહિત્ય ધર્મ-પ્રચાર સમિતિ કથાના આયોજક શ્રી વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન રાજકોટને ખુબ ખુબ અભિનંદન આપે છે તેમજ ભવિષ્યમાં આવા વિશ્વકર્મા પ્રભુના ધર્મ પ્રચાર અર્થેના કાર્યક્રમ વધારે થાઈ તેવી શુભકામનાઓ પાઠવે છે.

માહિતી : નિલેશ કનાડીયા

લુહાર સમાજ સમાચાર 
(આપણો સમાજ, આપણા સમાચાર)
Email : alvsindia@gmail.com
કોન્ટેક્ટ : 09512171071



મકવાણા પરિવારના કુળદેવી શ્રી મોમાઈ માતાજીના રોહિશાળા સ્થિત નૂતન મઢ ખાતે બે દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કારતક સુદ ચૌદસ અને પુનમનાં દિવસે ઉજવાયો..



















































મકવાણા પરિવારના કુળદેવી શ્રી મોમાઈ માતાજીના રોહિશાળા સ્થિત નૂતન મઢ ખાતે બે દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કારતક સુદ ચૌદસ અને પુનમનાં દિવસે ઉજવાયો..



પ્રાપ્ત માહિતી મુજબ મકવાણા પરિવારના કુળદેવી શ્રી મોમાઈ માતાજીનો ગામ : રોહિશાળા, તાલુકો ટંકારા, જિલ્લો મોરબી સ્થિત મઢે થોડા દિવસો પહેલાં સમસ્ત મકવાણા પરિવારના સાથ સહયોગ થકી મઢનું નવનિર્માણ કરવામાં આવેલ જે મકવાણા પરિવારનાં કુળદેવી શ્રી મોમાઈ માતાજીના નૂતન મઢમાં તે બાબતે બે દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કારતક સુદ ચૌદસ અને પુનમ નાં દિવસે ઉજવાયો હતો,.


જેમાં પ્રથમ દિવસે કારતક સુદ ચૌદસ તારીખ: 14/11/2024 ગુરૂવારનાં દિવસે મઢનાં મંડપ માતૃકા પુજન બાદ જલ યાત્રા અને ત્યાર બાદ ઢોલ નગારા સાથે નગર યાત્રા યોજાઈ હતી અને માતાજીના મઢનાં ફરાઓ નું વિધિવત પૂજન અર્ચન કરી સાંધ્ય આરતી કરવામા આવી હતી 


જ્યારે બીજા દિવસે કારતક સુદ પૂનમ તારીખ: 15/11/2024 શુક્રવારના દિવસે પ્રથમ મઢમાં ગણપતિ સ્થાપન ત્યાર બાદ વિધિવત શાંતિ પૌષ્ટિક યજ્ઞહોમ બાદ માતાજીના મઢનાં ફરાઓ ને પ્રાણ પ્રતિષઠા વિધી મુજબ માતાના મઢમાં સ્થાપિત કરવામાં આવેલ 



ત્યારબાદ મહાઆરતી બાદ સમસ્ત મકવાણા પરિવાર તથા આમંત્રિત મહેમાનો માટે મહાપ્રસાદનું આયોજન બાદ ઉત્સવ પુર્ણ કરાયો હતો, આ કાર્ય માટે સમસ્ત મકવાણા પરિવાર સાથે શ્રી ધીરુભાઈ કરશનભાઈ મકવાણા, શ્રી હિતેશભાઈ લાલજીભાઈ મકવાણા તથા શ્રી રવિભાઈ જગદીશભાઈ મકવાણા દ્વારા જહેમત ઉઠાવી કાર્ય પાર પાડવામાં આવેલ હતું..




માહીતી : કું. ધારમી દિલીપભાઈ મકવાણા 
(મું. જોડિયા (જામનગર) હાલ: મોરબી)

લુહાર સમાજ સમાચાર 
(આપણો સમાજ, આપણા સમાચાર)
Email : alvsindia@gmail.com 
કોન્ટેક્ટ : 09512171071