શ્રી અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા નવમું લુહાર જ્ઞાતિનું સ્નેહ મિલન તથા જીવનસાથી પસંદગી સંમેલન જામનગર ખાતે યોજાશે..
વિશ્વકર્મા સમાજ લુહાર સુથાર સમાજ પત્રકાર મિત્રોનો સમુહ
પ્રાપ્ત માહિતી મુજબ શ્રી અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા લુહાર જ્ઞાતિનું સ્નેહ મિલન ૯ તથા જીવનસાથી પસંદગી સંમેલનનું ભવ્ય મેગા આયોજન ઐતિહાસિક, સાંસ્કૃતિક, પ્રાકૃતિક અને ઔધોગિક વિકાસનું શહેર એવા જામનગર ખાતે આગામી તા.૧૫/૧૨/૨૦૨૪ રવિવારના રોજ બપોરે ૧ થી ૬ કલાક દરમ્યાન તદ્દન નિઃશુલ્ક રીતે યોજાશે.
આ સ્નેહમિલનમાં કોઈ પણ રાજ્ય, શહેર કે ગામડાના અપરણિત, વિધવા, છુટાછેડાવાળા તેમજ દરેક જ્ઞાતિજનોને આદર, સેવા અને નિષ્ઠાના ભાવ સાથે બહોળી સંખ્યામાં પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવે છે.
શ્રી અમૃતભાઈ વાઘેલા દ્વારા પ્રેરિત જીવનસાથી સંમેલન વર્તમાન સમયની સળગતી સગપણની સમસ્યા દૂર કરવાનો એક ઉત્તમ પ્રયાસ છે. યોગ્ય જીવનસાથીની પસંદગી એ પ્રેમ અને સંબંધોની શોધમાં આગળ વધવાની એક અદ્ભુત અને રોમાંચક યાત્રા હોય છે.
જીવનસાથી સંમેલનમાં ભાગ લેવાનો નિર્ણય એ આપના જીવનમાં એક નવો અધ્યાય ખોલવાનું સૂચન કરે છે. આ અનુભવ તમને નવી વ્યક્તિઓને મળવા, નવા સંબંધો બાંધવા અને તમારા ભાવિ જીવનસાથીને મળવાની તક આપે છે.
"પ્રયત્ન વગર કંઈ જ પ્રાપ્ત થતું નથી." તે કહેવત અનુસાર શ્રી અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા આયોજિત જીવનસાથી સંમેલન દરમિયાન તમે વિવિધ પ્રકારના સમાજ શ્રેષ્ઠીઓને મળશો અને તેમના વિચારો, અનુભવો અને મૂલ્યોને સમજવાની વિશાળ તક મળશે. આ સંમેલન દ્વારા તમારા પોતાના મૂલ્યો અને જીવનમાં શું મહત્વનું છે તે વધુ સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરશે. તમારા ભાવિ જીવનસાથીને શોધવાની આ યાત્રામાં ધીરજ અને સકારાત્મક વિચારસરણી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
શ્રી અમૃત ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી શ્રી અમૃતલાલ વાઘેલા નાં શબ્દે કહીએ તો સંમેલન દરમિયાન તમે કદાચ નિરાશા અનુભવો, પરંતુ હાર ન માનો, જીવનમાં આવનાર દરેક વ્યક્તિની મુલાકાત એ નવી શીખવાની તક છે. તમારા અનુભવોને સ્વીકારો અને તેમાંથી શીખો. જો...જો... આ જીવનસાથી સંમેલનમાં જવાનું ચૂકશો નહિ, યાદ રાખો કે સાચો પ્રેમ તમારી રાહ જોઈ રહ્યો છે. સંમેલનમાં સહભાગી થવાનો આપનો એક નિર્ણય આપના જીવનમાં ખૂટતા રંગોને ભરીને રંગીન બનાવવાનું એક પગલું છે.*
સંમેલન એ ફક્ત નવા લોકોને મળવાની જગ્યા નથી, પરંતુ તમારી જાતને વધુ સારી રીતે સમજવાની તક પણ છે. તમે તમારી શક્તિઓ અને ક્ષમતાઓને શોધી શકો છો અને તમારા ભવિષ્ય માટે નવા લક્ષ્યો નક્કી કરી શકો છો.
લુહાર સમાજ સમાચાર
(આપણો સમાજ, આપણા સમાચાર)
Email : alvsindia@gmail.com
Contact : 09513171071














































No comments:
Post a Comment