Monday, February 3, 2025

શ્રી ભારતી આશ્રમ ભવનાથનાં લઘુમહંતશ્રી મહાદેવ ભારતીજી ને પ્રયાગ ખાતે કુંભ મહોત્સવમાં 1008 શ્રી મહામંડલેશ્વરની પદવી મળતા ભવનાથ ખાતે તેઓનું લુહાર સમાજ દ્વારા ભવ્ય અને દિવ્ય સ્વાગત કરવામાં આવ્યુ, વાંચો પુર્ણ અહેવાલ..


















શ્રી ભારતી આશ્રમ ભવનાથ તળેટીનાં લઘુમહંત શ્રી મહાદેવ ભારતીજી જેઓને તીર્થરાજ પ્રયાગ ખાતે મહાકુંભ મહોત્સવ દરમિયાન 1008 શ્રી મહામંડલેશ્વર શ્રી તરિકે વરણી કરવામાં આવી જે તારીખ: 01-02-2025 શનિવારના રોજ મહાકુંભ માંથી ભવનાથ તળેટી ભારતી આશ્રમ ખાતે પરત આવતાં સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેના તથા લુહાર સમાજ જુનાગઢ જિલ્લા અગ્રણીઓ દ્વારા ઉમળકાભેર ફટાકડા બેન્ડબાજા અને પુષ્પ વર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું..


પ્રાપ્ત માહિતી મુજબ શ્રી ભારતી આશ્રમ ભવનાથ તળેટીનાં લઘુમહંત શ્રી મહાદેવ ભારતીજી ને તીર્થરાજ પ્રયાગ ખાતે મહાકુંભ મહોત્સવ દરમિયાન 1008 શ્રી મહામંડલેશ્વર શ્રી તરિકે વરણી કરવામાં આવી હતી જેઓ તારીખ: 01-02-2025 શનિવારના રોજ મહાકુંભ માંથી ભવનાથ તળેટી શ્રી ભારતી આશ્રમ ખાતે પરત આવ્યાં હતાં 


ત્યારે સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેનાનાં સંધ સ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી શ્રીરાજુભાઈ કવા તથા ગુજરાત પ્રદેશ પ્રભારી મંત્રીશ્રી શ્રી દિનેશભાઈ પીઠવા ની આગેવાની હેઠળ શ્રી મહાદેવ ભારતીજી નું ભવનાથ તળેટી ખાતે ઉમળકાભેર ફટાકડા, બેન્ડબાજા અને પુષ્પ વર્ષા સાથે ભવ્ય અને દિવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાદમાં ગિરનારની ગોદમાં આવેલા શ્રી ભારતી આશ્રમ ખાતે તેઓની આરતી ઉતારી સ્તુતિ વંદના કરી ધન્યતા અનુભવી હતી, 


આ કાર્યમાં લુહાર સમાજ જુનાગઢ અગ્રણીઓ જેમાં શ્રીઅતુલભાઈ મકવાણા, શ્રીબીપીનભાઈ મકવાણા, શ્રી યોગેશ વાઘેલા વગેરે જોડાયા હતાં, તેમજ સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી "લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના" નાં ગુજરાત પ્રદેશ સહપ્રભારી મંત્રીશ્રી શ્રીકિશોરભાઈ વાઘેલા પણ આ ઉત્સવમાં જોડાયા હતાં, 


આ ઉત્સવ બાદ LYS-SS નાં રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી શ્રીરાજુભાઈ કવા ગામ: સમઢિયાળા ગીર દ્વારા સમસ્ત લુહાર સમાજ "સિંહસ્થ સેના" પરિવાર તરફથી 1008 શ્રી મહામંડલેશ્વર શ્રી મહાદેવ ભારતીજીને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.



લુહાર સમાજ સમાચાર
આપણો સમાજ, આપણા સમાચાર
Email : alvsindia@gmail.com
Contact : 09512171071




No comments:

Post a Comment