મોરબીનાં લુહાર સમાજ વિદ્યાર્થીઓ ને લુહારજ્ઞાતિની વાડીએ નોટબૂક વિતરણ કરવામાં આવ્યું જેમાં પ્રાપ્ત વિગત મુજબ હર વર્ષની જેમ મોરબીની શ્રી મચ્છુકઠિયા લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી ખાતે લુહારજ્ઞાતિ ટ્રસ્ટ અંતગર્ત શ્રી વિશ્વકર્મા શિક્ષણ તથા ઉત્સવ સમિતિ મોરબી દ્વારા મચ્છુકઠિયા લુહાર સમાજના મોરબી તેમજ મોરબી આસપાસ પંથકમાં રહેતાં ધોરણ K.G. થી કોલેજ સુધીના આશરે 570 થી વધુ વિદ્યાર્થીઓ ને 7000 થી વધું ફૂલસ્કેપ નોટબુકનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું
આ સંસ્થા સમિતિ દ્વારા દર સાલ વિનામુલ્યે નોટબૂક વિતરણ સાથે અમુક જે બાળકો ભણતરમાં અવ્વલ હોઈ પરંતું આર્થીક નબળી પરિસ્થિતિ વારા હોઈ તેવા લુહાર સમાજનાં સ્ટુડન્ટોની સ્કુલ ફી પણ ભરી આપે છે તેમજ શાળામાં ચાલતા પાઠ્ય પુસ્તક અને નવનીત ગાઈડ પણ લઈ આપી એક ઉમદા જ્ઞાતિ સમાજ સેવાનું ઉદાહરણ પણ વિના સ્વાર્થે પુરું પાડી રહ્યાં છે
આ સામાજિક જ્ઞાતિ કાર્યમાં શ્રી વિશ્વકર્મા શિક્ષણ તથા ઉત્સવ સમિતિનાં મોરબી જ્ઞાતિ રત્ન કહી શકાય તેવા સભ્યો જેમાં જીજ્ઞેશભાઈ મકવાણા, જીતેન્દ્રભાઈ રાઠોડ, દિપકભાઈ પિત્રોડા, પરેશભાઈ પઢારિયા, ચેતનભાઈ મકવાણા, નિલેશભાઈ પિત્રોડા, જગદીશભાઈ પરમાર તથા મનસુખભાઈ રાઠોડ પણ ઉમદા સેવા આપી રહિયા છે.
લુહાર સમાજ સમાચાર
આપણો સમાજ, આપણા સમાચાર
Contact : 9512171071
Email : alvsindia@gmail.com












No comments:
Post a Comment