સાવકુંડલા ખાતે શ્રી લુહાર યુવા ગૃપ આયોજીત ચોથો સમુહલગ્ન સમારોહ યોજાયો..
વિગતવાર અહેવાલ મુજબ જણાવવાનું કે સાવકુંડલાના લુહાર સમાજના વિકાસ અને ઉત્કર્ષ પ્રગતિ માટે ધણા વર્ષથી કાર્ય કરનાર લુહાર સમાજ સામાજિક ગૃપ શ્રી લુહાર યુવા ગૃપ દ્વારા સમુહલગ્નનુ જાજરમાન આયોજન સાવકુંડલામાં કરેલ હતું, જેમાં લુહાર સમાજની પાંચ દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં
આ સમુહલગ્ન માં લગ્નગ્રંથી થી જોડાયેલ નવદંપતી ઓને શ્રી ભારતી આશ્રમના મુખ્ય પ્રધાન 1008 મહા મંડલેશ્વર મહંતશ્રી હરિહરાનંદ ભારતી બાપુએ ખુબ ખુબ અભિનંદન સાથે આશીર્વાદ પાઠવી દીકરીઓને કરિયાવરમાં સાડી અર્પણ કરી હતી, જયારે લુહાર સમાજના બીજાં ઘણાં મહંતો, અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ સાથે સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા,
જયારે પ્રેસ/મિડિયા ગ્રુપમાં સાવરકુંડલા તથા અમરેલી શહેરના સ્થાનિક પ્રેસ પ્રતિનિધિઓ અને પત્રકારો સાથે લુહાર સમાજનાં પ્રેસ/મિડિયા પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતાં,
જ્યારે લુહાર સમાજના પુત્ર જેમને ઉગતા સૂર્ય સમાન યુવા જ્યોતની વ્યાખ્યા આપી શકાય તેવા લુહાર સમાજ અણમોલ રત્ન સાહિત્યકાર શ્રી ભગીરથભાઈ રાઠોડે સમસ્ત લુહાર સમાજને પોતાનાં કુળભુષણ સંતો, મહંતો અને મહાત્માઓ નાં જીવન ચરિત્રો માંથી પ્રેરણા લઈ પોતાનાં સંતાનોને ઉત્તમ સંસ્કાર અને પોતે ઉચ્ચ ચરિત્ર જીવન અપનાવી એક તાંતણે બંધાય સંગઠિત થવાની ટકોર કરેલ હતી.
તારીખ: ૨૫-૦૨-૨૦૨૪ રવિવારના રોજ શ્યામજી બાપુ ઉપવન વાડી - સાવરકુંડલા ખાતે જે આ સમુહલગ્ન સમારોહનું આયોજન કરેલ હતું તેમા ઉપસ્થિત તમામ ગામ, બહારગામ નાં દરેક અગ્રણી આગેવાનો તથા રાજકીય લોકોનું શ્રી લુહાર યુવા ગૃપ સાવરકુંડલા દ્વારા સત્કાર સાથે સાલ તથા મોમેંન્ટો આપી બિરદાવી બહુમાન જાળવ્યું હતું.
લુહાર સમાજ સમાચાર
(આપણો સમાજ, આપણા સમાચાર)





No comments:
Post a Comment