Friday, April 23, 2021

કોરોના તો હારશે જ ! કોરોના પોઝીટીવ થી નેગેટીવ સુધીની મારી સફરજીગર કવૈયા ( લેખક, વક્તા )- કમળાપુર


હાલનાં સમયની વાત કરીએ તો પરિસ્થિતિ થોડી વિકટ છે. સવારનું અખબાર આપણાં હાથમાં આવે કે ટીવી ચાલું કરતાંની સાથે જ બધે એક જ વાતો સાંભળવા મળે કોરોના, હોસ્પિટલો, મૃત્યુનાં આંકડા, ઓક્સિજનની અછત, સરકારની લાપરવાહી, અને આવું તો ઘણું બધું....! વ્યક્તિ ફફડી જાય છે. કારણકે, ચોતરફ નકારાત્મક બાબતો જ જોવા અને સાંભળવા મળે છે. 

ઘણા સ્વસ્થ લોકો આવી નકારાત્મક બાબતોની ઝપેટમાં આવીને પોતાનું સ્વાસ્થ્ય બગાડે છે. શું આ નકારાત્મકતાનાં ગુલામ બનીને જ રહેવું છે ?

પરિસ્થિતિમાં સુધારો લાવવો હોય તો ફરજીયાત પણે હકારાત્મકતાને  ભેટવું જ પડશે.

"અમે તો રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો જાતને તોયે જીવી જવાના."

આ આત્મવિશ્વાસનાં બળે જ આજે મેં કોરોનાને હરાવ્યો છે.
જી બિલકુલ, આપ સાચું જ વાંચી રહ્યા છો.

વાત જાણે એમ હતી કે તારીખ 6 એપ્રિલનાં રોજ અચાનક મને ગંભીર તાવ, શરીરમાં નબળાઈ, મોઢા તથા ગળામાં ચાંદા પડી જવા, અવાજ બેસી જવો, સ્વાદ ગુમાવી બેસવો જેવા અનેક લક્ષણો શરીરમાં દેખાતાં હતા. તરત જ મેં કમળાપુર સ્થિત P.H.C. સેન્ટરમાં ફરજ બજાવતાં ડો. ધવલગીરી ગોસાઈ જે મારાં પરમ મિત્ર પણ છે. તેમને આ બધું જણાવ્યું તો તેમણે તરત કોરોનાનો રિપોર્ટ કર્યો. એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. પણ લક્ષણો બધાં કોરોનાના હોવાથી RT PCR માટે સેમ્પલ એકઠાં કર્યા. અને રાજકોટ મોકલ્યા. ડોકટરે મને સલાહ આપી કે રિપોર્ટ ન આવે ત્યાં સુધી તમે હોમ આઇસોલેટ થઈ જાઓ. તરત જ ઘરે હું એક રૂમમાં હોમ આઈસોલેટ થઈ ગયો. 8 એપ્રિલનાં રોજ મારો રિપોર્ટ આવ્યો અને એ POSITIVE હતો. શરુઆતનાં તબક્કામાં એક ડર મારી અંદર ઉદ્દભવ્યો. કોરોના થયો છે હવે હું બચી નહીં શકું. આવા અનેક વિચારોનું વમળ મારાં મનમાં સર્જાતું હતું અને હું જાણે આ વમળમાં ધીમે ધીમે ડૂબતો જતો હતો. હતાશા જાણે કે મને ઘેરી વળી હતી. અને આ હતાશાનું પરિણામ સારું ન આવ્યું. આપણું વિજ્ઞાન કહે છે તેમ કે તમે જેવું વિચારો છો એવાં જ તમારાં શરીરમાં રાસાયણિક ફેરફારો થવાં લાગે છે. મારી સાથે પણ કંઈક આવું જ થયું. સતત ટીવી ચેનલો, સોશિયલ મિડીઆ, બધામાં એક જ વાતો સાંભળવા મળે ઓક્સિજનની અછત, હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈનો. આવું સતત મનમાં ઘૂમ્યા કરવાથી મારુ ઓક્સિજન લેવલ 90 નીચે જતું રહ્યું અને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ.

ડૉક્ટરનાં સતત માર્ગદર્શન નીચે મને સલાહ આપી કે નાસ લેવાનું ચાલુ કરો. નાસ લેવાથી મને થોડી રાહત જરૂર થઈ. પણ મારે આવી થોડા સમયની રાહત નહોતી જોઈતી. મારે તો કોઈ પણ સંજોગોમાં આ કોરોનાને મ્હાત આપવી હતી. જે ફક્ત વિચારોની શકિતથી જ શક્ય હતું. મેં ખૂબ વિચાર્યું કે "વિચારોના વાવેતર" થકી હું ખુદ ઘણાં લોકોને હરાત્મકતાનું પાણી પાવાનું કામ કરૂં છુ. આજે મારે એ શ્રેષ્ઠ વિચારોની જરૂર છે. મારે એક આત્મબળની જરૂર છે.

મારે હકરાત્મકતાની જરૂર છે.
મેં એ પણ વિચાર્યું કે કોરોનાં ગમે તેટલો ઘાતક કેમ ન હોય ! મારા મનની શક્તિ, મારી હકરાત્મકતા, મારુ આત્મબળ, મારાં વિચારોની શક્તિ સામે ક્યારેય ટકી ન શકે. બસ આ વિશ્વાસે મારામાં નવા પ્રાણ પૂર્યા. આ સમયે મારા પરિવારનાં સભ્યો, મારી બહેન, મિત્રો, વિધાર્થીઓએ હંમેશા મને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને વિશેષ આભાર હું કૃષ્ણકાંત ઉનડકટ ( કટાર લેખક, વક્તા ) તેમજ તેમનાં પત્ની જ્યોતિ ઉનડકટ ( પત્રકાર, લેખિકા, વક્તા ) નો વ્યક્ત કરીશ કારણકે, મારાં આ કપરાં સમયમાં તેમણે મને ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. તેમજ મારાં મિત્ર એવા ડો. ધવલગીરી ગોસાઈનો સ્ટાફ તો નિયમિત ઘરે તપાસ કરવા આવતો. પણ વ્યસ્તતા વચ્ચેથી સમય કાઢીને નિયમિત દર બે દિવસે ડો. ધવલગીરી ખુદ મારી તબિયત પૂછવા ઘરે આવતા હતા. અને હકારાત્મક વાતો કરતાં હતાં. બસ પછી તો શું જોઈએ.
ભાવતું તું 'ને વૈધે કહ્યું
હકારાત્મકતાની જ જરૂર હતી ને ડોકટર, પરિવારજનો, મિત્રો, વિધાર્થીઓ વગેરે પાસેથી મને એ જ મળ્યું. જ્યારથી આ હકારાત્મક વિચારશૈલી અપનાવી ત્યારથી તબિયતમાં ધીમે ધીમે સુધારો આવ્યો. ફક્ત વિચારો જ નહીં, દવા, દુઆ, યોગ્ય કાળજી, યોગ્ય ખોરાક ,અને યોગ્ય ઊંઘ પણ તેમાં મહત્વનો ભાગ ભજવે છે. આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે તમે મનથી સ્વસ્થ હોય. 
મનથી સ્વસ્થ હશો તો તનની અસ્વસ્થતા વધુ સમય તમારી પાસે નહીં ટકે.

બીમારી ગમે તેવી ઘાતક હોય, એક વાત હંમેશા યાદ રાખજો,
તનથી તૂટેલા સમય જતાં સાજા થઈ જાય છે.

પણ મનથી તૂટેલા ક્યારેય સાજા થતા નથી.

જે લોકો અત્યારે કોરોનાનો સામનો કરી રહ્યા છે તેમને ખાસ વિનંતી કરીશ કે વિચારોથી ક્યારેય નબળાં ન પડતા એક અહેવાલ મુજબ મનથી નબળા લોકો વધુ કોરોનાની ઝપેટમાં આવે છે. તેવા લોકોની મનની બીક જ તેમનાં મૃત્યુનું કારણ બને છે. માટે ગભરાવાની જરૂર નથી. મનની મક્કમતા સાથે આજે મેં જેમ આ કોરોનાંને હરાવ્યો તેમ આપણે સૌએ સાથે મળીને મનની મજબૂતાઈ સાથે અડગ મનનાં મુસાફર બનીને આ રોગને હરાવવાનો છે.

પણ સાથે સાથે સરકારશ્રીના ધારાધોરણ પ્રમાણે અમુક નીચે મુજબની માર્ગદર્શિકાનું પાલન પણ અવશ્ય કરીએ.
માસ્ક અવશ્ય પહેરો.( ઘરની બહાર હોય ત્યારે ડબલ માસ્ક પહેરો.)
જરૂર વગર ઘરની બહાર નીકળવાનું ટાળો.
રસીકરણ અભિયાનમાં ટેકો જરૂર આપો.
રસી લીધા પછી પણ કોરોનાં થાય છે આવા નકારાત્મક સમાચારો ફેલાવીને રસી લેવાનું ન ટાળો.
એક સરસ ઉદા. હેલ્મેટ પહેરીને ગાડી ચલાવીએ એટલે એનો અર્થ એ નથી કે એક્સિડન્ટ જ નહીં થાય. પણ હા હેલ્મેટ તમારો જીવ જરૂર બચાવશે. તમને મરવાં નહીં દે. આ રસીનું પણ કંઈક આવું છે. રસી લેવાથી કોરોના થશે જ નહીં એવું નથી પણ જો થાય તો અમુક અંશે સંક્રમણ જરૂર અટકાવી શકાય છે અને વ્યક્તિ મૃત્યુ સુધી પહોંચતો નથી.  માટે જ રસી મુકાવો. મનથી સ્વસ્થ રહો અને હંમેશા હકરાત્મકતાને ભેટી રહો. 
કોરોનાને હરાવવા માટેનું શ્રેષ્ઠ હથિયાર આત્મબળ જ છે.વિચારોના વાવેતરની એક સુક્તિ અહીં સાર્થક ઠરશે.

"આત્મબળ જ દરેક દુઃખની દવા છે."

આપ તથા આપનો પરિવાર સ્વસ્થ રહે તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે જીગર કવૈયાનાં જય શ્રી કૃષ્ણ - રાધે રાધે

લેખક - જીગર કવૈયા

લુહાર સમાચાર 
(આપણો સમાજ, આપણા સમાચાર)
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com 

Saturday, April 17, 2021

લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના ના મોરબી તાલુકા પ્રમુખ દ્વારા સમસ્ત લુહાર સમાજ માટે મોરબી શહેરમાં સમાજની વાડીઓ માં કોવિડ કેર સેન્ટર ચાલુ કરવા માંગણી કરાઈ...


મોરબી તાલુકા વિસ્તારમાં હાલ કોરોના કહેરે માજા મુકી છે અને આ મહામારીમાં મોરબી પંથકના લુહારજ્ઞાતિ સમાજના ધણા પરિવારો પણ કોરોના સંક્રમણના ભોગ બન્યા છે ત્યારે લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના ના મોરબી તાલુકા પ્રમુખશ્રી અશ્વિનભાઈ ઉમરાણિયા દ્વારા લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના મોરબી તાલુકા ટીમ વતી સમસ્ત લુહાર સમાજ માટે તાલુકા કક્ષાએ 

મોરબી શહેરમાં આવેલી શ્રી લુહારજ્ઞાતિ બોંર્ડિંગ એન્ડ ભોજનશાળા યુનિટ 1 અને 2 તેમજ શ્રી સોરઠિયા લુહારજ્ઞાતિ હિતેચ્છુ મંડળ દ્રારા સંચાલિત "શ્રી વિશ્વકર્મા વાડી" આ બંને સમાજની વાડીઓ માં કોવિડ કેર સેન્ટર ચાલુ કરવામાં આવે તેવી શ્રી અશ્વિનભાઈ ઉમરાણિયાએ પત્ર પાઠવી માંગણી કરી છે
પત્ર દ્વારા બંને વાડી સંચાલકોને જણાવ્યુ છેકે હાલ કોરોના સંક્રમણ કાળે સમગ્ર સૌરાષ્ટ્ર સાથે ગુજરાત ભરમાં માજા મુકી છે, ત્યારે આપના લુહારમાં પણ ધણા પરિવારના લોકો આ મહામારીનો સામનો કરી રહ્યા છે, ત્યારે અમારૂ સુચન છેકે અત્યારે આ મહામારી દરમિયાન સમસ્ત લુહાર સમાજના લોકો માટે આપણા શહેરમાં લુહાર સમાજની વાડીઓ માં કોવિડ કેર સેન્ટર ચાલુ કરવું જોઈએ અને સમાજના ડોકટરો તે કોવિટ સેન્ટરોમાં માનદ સેવા આપી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

વધુમાં સુચવ્યું છે કે હાલની પરિસ્થિતિએ અમારૂ સુચન એકદમ યોગ્ય છે ત્યારે અમો "લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના" ગુજરાત પ્રદેશ ટીમ મેમ્બરોના સુચનનું સમર્થન કરિએ છિએ અને દરેક ગામમાં વસતા સમસ્ત લુહાર/પંચાલ સમાજ પણ આમારી ભાવના સમજી યોગ્ય કામગીરી કરે તેવી આશા રાખીયે છિએ, તથા અમારા મતેઆ સુચન મુજબ હાલની પરિસ્થિતિ જોતા આ સેવા એક ઉતમ પ્રકારની સમાજ સેવા ગણાશે માટે આવા યોગ્ય સુચનને આપ માન્ય રાખો તેવી આશા રાખીએ છિએ.
ઉલેખનિય છેકે થોડા દિવસો પહેલાજ લુહાર સમાજ અગ્રણી અને પત્રકાર પરેશભાઈ દાવડા દ્વારા પણ કોરોના કેર સેન્ટર દરેક શહેરના લુહારવાડી સંચાલકો ચાલુ કરે તેવી દરખાસ્ત કરાઈ હતી અને ત્યારે પણ લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના ની ગુજરાત પ્રદેશ ટીમ દ્વારા પરેશભાઈ દાવડાને અમે આપની સાથેજ છિયે એ વાત દર્શાવતો સંમતી પત્ર પણ પાઠવ્યો હતો..

ALVS ઈન્ડિયા ન્યુઝ
સમસ્ત લુહાર/સુથાર સમાજ સમાચાર
રિપોર્ટર જયદિપ પિત્રોડા - મોરબી
Email : alvsindia@gmail.com 

Sunday, April 11, 2021

मेरी कला का प्रशंसक आज चमकता हुआ सूरज ढल गया।धन्या लोहार (पांचाल) समाज.. धन भारतवर्ष... त्रिलोक माण्डण, राजस्थान.


        

आज से नौ दशक पहले, अहमदाबाद के पास अरनेज गाँव में बुट भवानी की माँ की गोद में 2 अप्रैल, 1930 को एक बच्चे का जन्म हुआ था।  यह केवल पीथवा लुहार समाज के लिए ही नहीं, बल्कि पूरे देश के लिए एक शुभ समय था ... 

ऐसा कहा जाता है कि संत के आगमन से प्रकृति स्वयं भावुक हो जाती है और नृत्य करती है।  देवता आकाश से फूलों की वर्षा करते हैं।  संपूर्ण मानव जाति धन्य हो जाती है।

जब की नियति ने 17 साल की उम्र तक आते-आते शांतीलाल पांचाल का साथ दिया और वह वन्थल के पुरुषोत्तम बापू के (वीरमगाम के पास) वहाँ पहुँचते हैं, जिससे युवक के दिल में उथल-पुथल मच जाती है।  सत्संग चलता है और युवक से सुलह हो जाती है। जब संत और संतसंगी  एक रंग महसूस कर रहे थे तब पुरुषोत्तम बापू के साथ लगभग दस साल तक का समय भारतीबापू की मानसिकता के उत्सान के लिए पर्याप्त था।

यह स्वाभाविक है कि वह देश की लगभग सभी महान हस्तियों से जुड़े हुए हैं ... और इसीलिए आज प्रधानमंत्री से लेकर पूरा देश उन्हें श्रद्धांजलि दे रहा है।

हमारे प्रधान मंत्री नरेंद्र मोदी लिखते हैं कि जब मैं प्रचारक था, मैं अपने स्कूटर को पेट्रोल पंप पर खड़ा करता था और पेट्रोल भरता था और फिर भारती बापू के पास जाता था।

ऐसा दिव्य व्यक्तित्व आज हमारे बीच से चला गया ... जो अंतिम क्षण तक स्वस्थ था।  इस धरती पर नौ दशक बिताने के बाद भी वे स्वास्थ्य को बचाने और हम सभी को इस तरह जीने का संदेश देने में सक्षम थे।  लत को फैशन मत बनाओ।  क्या ऐसा व्यापक व्यक्तित्व रहा होगा?  इसका उत्तर हाँ है। इसका कारण यह है कि भारतीबापू के अंदर जो मज़ा और उत्तेजना थी, वह बाहरी प्रतिष्ठा पर आधारित नहीं थी।

यदि हम शांतिलाल लोहार से लेकर भारतीबापू तक की जीवन यात्रा को देखें, तो अहमदाबाद जिले के धोलका तालुका के अरनेज गांव में जन्मे हैं।  कहा जाता है कि संत पैदा नहीं होते, वे प्रगट होते हैं।  पीथवा लुहार शाख में जन्मे, इस महात्मा की शुरुआत 4 जनवरी, 1965 को हुई थी, और केवल खोरडू ही नहीं, बल्कि पूरा लोहार (पंचाल) समुदाय धन्य हो गया था।  अरनेज गाँव पहले से ही बुट भवानी की माँ के लिए प्रसिद्ध गाँव था ... उस भूमि पर एक संत की उपस्थिति एक और शानदार घटना थी।

दीक्षा लेना और आराम से रहना उसका उद्देश्य कभी नहीं था। आखिरकार, उसके अंदर एक लोहार का खून था। हालांकि, संत किसी भी समाज के नहीं होते हैं। वे पूरे राष्ट्र के हैं। वे पूरी मानव जाति के हैं।  हालांकि, पहलेसे ही लोहार समाजकी कई प्रभावसाली संस्थाऐ वो फिर भले ही कोरोना शुरू होने से पहले उन्हें प्राइड ऑफ पांचाल टीम की ओर से विशेष सम्मान दिया गया था, सहज रूप से, उन्होंने बिना किसी दिखावा के स्वीकार कर लिया ... मानव एक्तित्व मे छोटा हो या बडा सभी के साथ रहना उनके व्यक्तित्व के साथ बुना गया था। कड़ी मेहनत के बिना उपकरण का मतलब भारतीबापू, जो कुछ बर्षमे दे गये हैं वो सच्चाई किसीसे छुपी नई हैं,

उन्होने 21 मई, 1971 को अहमदाबाद के एक महानगर सरखेज में "भारती आश्रम" की स्थापना की। कई मानवीय गतिविधियों की शुरुआत की।  उस सेवा की सुगंध हर जगह फैल रही थी ... जब वह 1993 में जूनागढ़ में महामंडलेश्वर बने, तो उनकी सफलता की कहानी गुजरात के इतिहास में सुनहरे अक्षरों में अंकित थी।

भारतीबापू ने अहमदाबाद में चंदलोदिया श्री विश्वकर्मा मंदिर की नींव रखी। दादा की प्राण प्रतिष्ठा भी उनके हाथों में थी और इस तरह से वाढियारी लोहार (पांचाल) को लगातार आशीर्वाद मिला।  यदि चंदेलिया में वाधियारी पांचाल समाज आज समृद्धि के शिखर पर है, तो इसमें कोई संदेह नहीं है कि इस संत का आशीर्वाद इसके साथ जुड गया है।

अब वह मुस्कुराता हुआ चेहरा..जो शुद्ध मुस्कुराहट हमारे बीच नहीं है ... जो रेगिस्तान में मीठे खरपतवार का काम करता था।

आज वह महान, पवित्र आत्मा हमारे बीच से चला गया है .. उसका शरीर हमारे बीच से छुट्टी दे सकता है पर उसके विचार नहीं ... उसकी सेवा और करुणा की सुगंध हमें सदियों तक प्रेरित करती रहेगी।

आलेखन :  पत्रकार मयुर पित्रोडा
लोहार युवा समन्वय - सिंहस्थ सेना राष्ट्रिय अध्यक्षश्री
9512171071


लेखक : विश्वरीकोर्ड होल्डर ,विश्वकर्मा रत्न ,
आर्टिस्ट त्रिलोक माण्डण काष्ठमूर्तिकार राजस्थान
9950751329


Saturday, April 10, 2021

રાજકોટ શહેરમાં શ્રી મચ્છુ કઠીયા લુહારજ્ઞાતિ મંડળના સહયોગથી રાજકોટ સમસ્ત લુહાર સમાજ માટે યોજાશે કોરોના વેકસિન રસીકરણ કેમ્પ

રાજકોટ શહેરમાં શ્રી મચ્છુ કઠીયા લુહારજ્ઞાતિ મંડળના સહયોગથી રાજકોટ સમસ્ત લુહાર સમાજ માટે યોજાશે કોરોના વેકસિન રસીકરણ કેમ્પ
આ કેમ્પમાં 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ ને રસી મુકવામાં આવશે જયારે રસી મુકાવવા માંગતા સમાજના જ્ઞાતિજનો એ આધારકાર્ડ સાથે લાવવાનું રહેશે.

આ કેમ્પ શ્રી વિશ્વકર્મા લુહારજ્ઞાતિ ની વાડી,
14, રણછોડ નગર, રાજકોટ માં તારીખ: 15/04/2021 ગુરૂવારે બપોરે 03 થી સાંજના 07 વાગ્યા સુધીનો રહેશે, જયારે આપ આપનું રજીસ્ટ્રેશન તારીખ: 15/04/21 ગુરૂવારે બપોરના 01:00 વાગ્યાથી કરાવી શકશો..

રજીસ્ટ્રેસન માટે કોન્ટેક : 9825179499
શ્રી વિશ્વકર્મા લુહારજ્ઞાતિ ની વાડી,
14, રણછોડ નગર, 15 નં. સ્કુલની પાસે - રાજકોટ

ALVS ઈન્ડિયા ન્યુઝ
સમસ્ત લુહાર/સુથાર સમાજ સમાચાર
પત્રકાર મયુર પિત્રોડા - 9512171071 

શ્રી વિશ્વકર્મા મહાસંઘ, ડીસા અને ટેક્નિકલ ઈસ્ટીટ્યુટ, થરાદના સહયોગથી ડીસા ખાતે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) હેઠળ કેમ્પ અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા

શ્રી વિશ્વકર્મા મહાસંઘ, ડીસા અને ટેક્નિકલ ઈસ્ટીટ્યુટ, થરાદના સહયોગથી તા. ૦૯/૦૪/૨૦૧૦ ને શુક્રવારના રોજ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) હેઠળ કેમ્પ અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવેલ. 
આ યોજનાનો લાભ શ્રી વિશ્વકર્મા મહાસંઘ દ્રારા સુથારીકામ કરતા કારીગરોને આત્મનિર્ભર  બનવામાં સહાયક બની રહ્યો છે. અને હાલ વિશ્વકર્મા વંશીય એવા તમામ ભાઈઓ આ પ્રમાણપત્ર મેળવી ગર્વ અનુભવી રહ્યાં છે.
શ્રી વિશ્વકર્મા મહાસંઘના પ્રમુખ શ્રી નવીનભાઈ પંચાલ, ઉપપ્રમુખ, મંત્રી સાથે કમિટી સભ્યોએ આ કેમ્પમાં સારા પ્રમાણમાં હાજરી આપી તથા કારીગર ભાઈઓ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા અને કોવિડ-૧૯ ની જાગૃતતા સાથે આ કેમ્પમાંના કાર્યક્રમ ને સફળ બનાવેલ.
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com 


Friday, April 9, 2021

શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા તથા લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના મોરબી શહેર ટીમ દ્વારા આયોજિત લુહાર સમાજ મોરબી કોરોના વેકસિન રસીકરણ પ્રથમ ડોઝ કેમ્પ સફળતા પુર્વક પુર્ણ થયો...

શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા તથા લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના મોરબી શહેર ટીમ દ્વારા આયોજિત લુહાર સમાજ મોરબી કોરોના વેકસિન રસીકરણ પ્રથમ ડોઝ કેમ્પ સફળતા પુર્વક પુર્ણ થયો...

મોરબી શહેર અને મોરબી તાલુકાના ગામ્ય વિસ્તારમાં રહેતા સમસ્ત લુહારજ્ઞાતિ માટે શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા તથા લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના મોરબી શહેર ટીમ દ્વારા સમાજ પ્રત્યે સહિશ્રુતાના ભાગરૂપે મોરબી શહેર અને મોરબી ગામ્ય પંથકમાં વસતા સમસ્ત લુહારબંધુઓ માટે તારીખ: 08/04/2021 ગુરૂવારે સવારના 08:30 થી સાંજના 05 વાગ્યા સુધી કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરેલ હતું 
આ રસીકરણમાં મોરબી પંથકના આશરે 180 જ્ઞાતિ બંધુઓ જેમની ઉંમર 45 વર્ષ કે તેથી ઉપર હોય તેવા લુહાર જ્ઞાતિજનો એ ભાગ લિધો હતો અને આ કેમ્પ સફળતા પુર્ણ સંપન્ન થયો હતો અને શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા તથા લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના મોરબી શહેર ટીમ દ્વારા આ કેમ્પમાં ભાગ લેનાર દરેક લુહાર જ્ઞાતિજનો નો દિલથી આભાર વ્યક્ત કરે છે.
આ કેમ્પમાં લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના ના ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ હંસોરા અને ગુજરાત પ્રદેશ મિડિયા ઈન્ચાર્જશ્રી હાર્દિકભાઈ પિત્રોડા બને મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહી કેમ્પના મુખ્ય કાર્યકર્તા ઓને સન્માન પત્ર અને ગિફટ આપી સન્માનિત કરી ઉત્સાહ વધાર્યો હતો 
જેમાં મુખ્ય ત્વે લુહારજ્ઞાતિ રત્ન પત્રકાર મયુર પિત્રોડા અને શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી કારોબારી સભ્ય - મનસુખભાઈ રાઠોડ અને લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના મોરબી શહેર પ્રમુખશ્રી વિનોદભાઈ કવૈયા દ્વારા આ કેમ્પ માટે જહેમત ઉઠાવાઈ હતી અને આ કેમ્પમાં કુશળ કામગીરી કરવા બદલ મોરબી જિલ્લા આરોગ્ય ટીમ મેમ્બરો, પત્રકાર મયુર પિત્રોડા, લુહાર અગ્રણી મનસુખભાઈ રાઠોડ અને લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના મોરબી શહેર પ્રમુખશ્રી વિનોદભાઈ કવૈયાનું સન્માન કરાયુ હતું સાથે શ્રી વિશ્વકર્મા વાડી સોરઠિયા લુહાર હિતેચ્છુ મંડળ મોરબી ટ્રસ્ટી મુકેશભાઈ પિઠવાનું પણ સન્માન કરાયું હતું
તેમજ કેમ્પને સફળ બનાવવા માટે પોતાની ન્યુઝ દ્વારા દરેક મોરબી પંથકના લુહાર સમાજને સમાચાર અને પોસ્ટર દ્વારા જાણકારી આપનાર "ALVS ઈન્ડિયા ન્યુઝ" સમાચાર તંત્રીશ્રી શ્રીમતી આરતી પિત્રોડા અને એન્કર મનિષાનું પણ સન્માન પણ કરાયું હતું

ALVS ઈન્ડિયા ન્યુઝ
સમસ્ત લુહાર સમાજ સમાચાર 
કોન્ટેક : 9512171071 
Email : alvsindia@gmail.com 



Monday, April 5, 2021

પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન દ્વારા "જીવનસાથી પરિચય" માહિતી પુસ્તિકાનું વિમોચન કરાયું



પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટીમ) અમદાવાદ દ્વારા "જીવનસાથી પરિચય" માહિતી પુસ્તિકા બહાર પાડવામાં આવી છે, આ માહિતી પુસ્તિકાથી   વિશ્વકર્મા સમાજના લગ્ન ઈચ્છુક યુવા યુવતીઓ ને બહોળો લાભ થાય એ હેતુથી એક સમાજ કલ્યાણ સંદર્ભ માટેનો નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે, 
તારીખ: 02/04/2021 ના રોજ પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટીમ) ના સભ્યો દ્વારા આ પુસ્તિકાનુ વિમોચન કરવામાં આવ્યું છે આ સાથે આ માહિતી પુસ્તિકા મેળવવા માટે સંસ્થાનો સંપર્ક કરવા પણ અનુરોધ કરાયો છે. કોન્ટેક : 6356016496  / 7567535176


ALVS ઈન્ડિયા ન્યુઝ
સમસ્ત લુહાર/સુથાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com

News Poncer By...