મહાસુદ તેરસના પાવન દિવસે ઉજવાતી શ્રી વિશ્વકર્મા પ્રભુની જન્મ જયંતિની ઉજવણી માટે લુહાર સમાજનાં વિવિઘ મંડળો દ્વારા અલગ અલગ રીતના આયોજનો કરાયું છે ત્યારે શ્રી મચ્છુકઠયા લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી ખાતે શ્રી વિશ્વકર્મા પ્રભુની જન્મ જયંતિની ઉજવણી તારીખ: 14/02/2022 સોમવારે શ્રી મચ્છુકઠયા લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી ખાતે સવારે 9:00 વાગ્યે વિશ્વકર્મા પ્રભુનાં પુજન બાદ વિશ્વકર્મા ધ્વજ ફરકાવી ઉજવવામાં આવી,
આ કાર્યક્રમમાં મુખ્ય ત્વે શ્રી મચ્છુકઠયા લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી નાં ટ્રસ્ટી મંડળ, કારોબારી મંડળ અને યુવક મંડળ સભ્યો તેમજ વિશ્વકર્મા વાડી - (સોરઠીયા લુહાર હિતેચ્છુ મંડળ મોરબી) નાં ટ્રસ્ટી મંડળ, કારોબારી મંડળ અને યુવક મંડળ સભ્યો ઉપસ્થિત રહિયા હતાં
સાથે લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના દળ (સમસ્ત લુહાર સમાજ સંગઠ્ઠન રાષ્ટ્રીય પાર્ટી) નાં હોદેદાર સભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતાં જ્યારે લુહાર સમાજ નાં પત્રકારોશ્રી પરેશભાઈ દાવડા અને મયુરભાઈ પિત્રોડા બંને પત્રકારોએ પોતાની વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.
લુહાર સમાજ સમાચાર
Email : alvsindia@gmail.com




No comments:
Post a Comment