શ્રી મચ્છુકઠિયા લુહાર સમાજ મોરબી જ્ઞાતિ બંધુ માટે શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી સમાજની વાડીએ વિશ્વકર્મા જયંતિ મહોત્સવ ઉજવાયો..
શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબી ખાતે તારીખ: 22-02-2024 ગુરૂવાર ના રોજ વિશ્વકર્મા જયંતિ મહોત્સવ ઉજવાયો
જેમાં સવારે 08:00 વાગ્યે સર્વ મચ્છુકઠિયા લુહાર સમાજ મોરબી જ્ઞાતિબંધુ દ્વારા સમુહ વિશ્વકર્મા પુજન કરવામાં આવયુ, ત્યારબાદ સવારે 09:00 વાગ્યે મચ્છુકઠિયા લુહાર સમાજ મોરબીનાં વિર્ધાર્થી બાળકોને શ્રી વિશ્વકર્મા શિક્ષણ અને ઉત્સવ સમિતિ ના મેમ્બરો દ્વારા શિલ્ડ વિતરણ કરવામાં આવયુ,
જયારે સવારે 11:00 વાગ્યે સમુહજ્ઞાતિ ભોજન મહાપ્રસાદનો તમામ મચ્છુકઠિયા લુહાર સમાજ મોરબીનાં જ્ઞાતિબંધુઓ એ ભાગ લઈ આ પ્રસંગને દીપાવી વિશ્વકર્મા જયંતિ મહોત્સવ ઉજવવામાં સહભાગી બની શ્રી વિશ્વકર્મા પ્રભની જયંતિની ઉજવણી કરવામાં આવી,
આ પ્રસંગને દિપાવવા માટે શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબીનાં ટ્રસ્ટ મંડળ, કારોબારી સમિતિ તથા યુવક મંડળના સભ્યોએ ભારે જહેમત ઊઠાવી હતી.
લુહાર સમાજ સમાચાર
(આપણો સમાજ, આપણા સમાચાર)




No comments:
Post a Comment