દત અને દાતારની પ્રવિત્ર ભૂમિ જૂનાગઢ શહેરમાં ગરવા ગિરનારની ગોદમાં શ્રી ભવનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રી પર્વના મેળાના ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે.
જૂનાગઢના શ્રી ભારતી આશ્રમમાં ખુબ મોટી સંખ્યા શ્રી સાધુ સંતો મહંતો તેમજ ભાવિક ભક્તો પધારી રહ્યા છે.
મહાશિવરાત્રી પર્વ નિમિતે ભારતી આશ્રમ ખાતે આજ રોજ શ્રી ભારતીબાપુના નામથી નૂતન અતિથિભુવન બનવા જઈ રહ્યું છે તેનું ખાત મુહૂર્ત આંતર રાષ્ટ્રીય અધ્યક્ષ 1008 શ્રીહરીહરાનંદ ભારતી બાપુ તેમજ મહામંડલેશ્વર શ્રી મહાદેવભારતીબાપુ તેમજ અનેક નામી અનામી સંતો તેમજ સેવકગણની હાજરીમાં ભૂમિ પૂજન કરવામાં આવ્યું, આ તકે ગુજરાતનાં અનેક ગામોથી લુહાર સમાજ અગ્રણીઓ પણ મહેમાન બની ઉપસ્થિત રહ્યા હતા જેમાં સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી "LYS-SS" સિંહસ્થ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષો જેમાં બગસરા (ધારી) થી શ્રી ચિરાગભાઈ પરમાર અને સમઢિયાળા (ગીર) થી શ્રી રાજેશભાઈ કવા બંને રાષ્ટ્રીય અધ્યક્ષો આ તકે..
આંતર રાષ્ટ્રીય અધ્યક્ષ 1008 શ્રીહરીહરાનંદ ભારતી બાપુ તેમજ મહામંડલેશ્વર શ્રી મહાદેવ ભારતીબાપુ સાથે જોડાયા હતા, જ્યારે લુહાર સમાજ અગ્રણીઓમાં સુરત થી રાજેશભાઈ ડોડીયા, વડોદરાથી નિલેશભાઈ કનાડિયા અને અમદાવાદ થી અશ્વિનભાઈ ચોહાણ વગેરે જોડાયા હતાં, સાથે જુનાગઢ, કેશોદ, મેંદરડા થી પણ લુહાર સમાજ અગ્રણીઓ જોડાયા હતાં.
આ ઉપરાંત શ્રી ભારતી આશ્રમમાં ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં ભાવિક ભક્તો ખુબ મોટી સંખ્યમાં લાભ લઇ રહ્યા છે તેમજ ભાવિક ભક્તો માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ,નિઃશુલ્ક પ્રસાદી વિતરણ, નિઃશુલ્ક ચા વિતરણ અવિરત ચાલુ છે.ધન્ય છે ભારતી આશ્રમની પરંપરા ધન્ય છે ભારતી આશ્રમના સંત ગણ ધન્ય છે શિવ.
લુહાર સમાજ સમાચાર
આપણો સમાજ, આપણા સમાચાર
Email : alvsindia@gmail.com
Contact : 09512171071




























