- સંત શિરોમણી શ્રી દેવતણખીદાદાનું અને સતી લીરલમાતાજી ચેતન સમાધી મજેવડી
સંત, શૂરવીરો અને સતિઓની ભૂમિ એટલે સૌરાષ્ટ્ર જ્યાં લુહાર કુળે જન્મ ધારણ કરી એક સંત શિરોમણી અને ભક્ત તરીકે ખુબ ખ્યાતિ પામ્યા એવા શ્રી દેવતણખીદાદા જેમણે પ્રસિદ્ધ દેવાયત પંડિતનાં તૂટી ગયેલા લોખંડના ધરાને શ્રી દેવતણખીદાદા પોતાની ઘૂંટી ઉપર તપી ગરમ લોખંડનો ધરો સાંધી આપે છે એ સૌ જગત જાણે છે એવા સંત શિરોમણી શ્રી દેવતણખીદાદા તથા લીરલમાતાજી ચેતનસમાધી મજેવડી ખાતે બે દિવસ દરમિયાન પૂજા,મહા આરતી,ભગવતી રાંદલમાતાજીનાં લોટા,માતાજીનાં મામેરા, શોભાયાત્રા,શ્રી નાથજીભગવાનની જાંખી,સંતવાણી અને મહાપ્રસાદ જેવા વિવિધ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે.
- સંત શિરોમણી શ્રી દેવતણખીદાદાનું જન્મસ્થળ બોખીરાધામ (પોરબંદર)
પોરબંદર બોખીરાધામ એ સંત શિરોમણી શ્રી દેવતણખીદાદાનું જન્મસ્થળ છે જ્યાં તારીખ 26 અને 27 જુનનાં રોજ ખુબ ભવ્ય રીતે અષાઢીબીજની ઉજવણી થસે જ્યાં બે દિવસ રોજ સંતો મહંતો મહેમાનની હાજરીમા વિવિધ ધાર્મિક- શૈક્ષણિક- આરોગ્યલક્ષી કાર્યક્રમ રાખવામાં આવ્યા છે જેમાં શ્રી રામદેવપીરબાપાનો પાઠ,શોભાયાત્રા તથા ધ્વજારોહણ,રાસ-ગરબા,સંતવાણી,નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ,રક્તદાન કેમ્પ, શૈક્ષણિક માર્ગદર્શન કેન્દ્ર, યુવક યુવતી પરિચય કેન્દ્ર તેમજ સન્માન સમારોહ વગેરે જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે વરસાદી વાતાવરણ હોવાથી ખુબ ભવ્ય ડોમ બનાવી આ ઉજવણી થશે આ બે દિવસના કાર્યક્રમમા મહાપ્રસાદનું પણ આયોજન છે તો સૌ ભાવિકભક્તો આ કાર્યક્રમમા સહભાગી થાઈ.
- સતી લોયણ ધામ આટકોટ
"જયોત ભળી ગઈ જયોતમાં ઉજાળી ધર્મનાં ધામ,
હવે ગીત ભજનના ગુંજશે તારું નિશદિન લોયણધામ"
આશરે 650 વર્ષ પહેલા ભાદરનદી કાંઠે સતી લોયણમાતા થઈ ગયા જે ભાદરનદીના કાંઠે સતી લોયણમાતાનું શિખરબંધ મંદિર છે આ લોયણધામ આટકોટ ખાતે મહાસતી લોયણદેવ સમસ્ત લુહાર સુથાર જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા અષાઢીબીજ તારીખ 27 જુનનાં અષાઢીબીજ મહોત્સવનું આયોજન રાખવામાં આવ્યું છે. યજ્ઞ,શોભાયાત્રા,ધ્વજારોહણ, મહાપ્રસાદ અને સંતવાણી વગેરે જેવા કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે સૌ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો દર્શનનો અવશ્ય લાભ લે.
લુહાર સમાજ સમાચાર
આપણો સમાજ આપણા સમાચાર
Email : alvsindia@gmail.com
Contact : 9512171071












No comments:
Post a Comment