Friday, August 6, 2021




આજ રોજ પંચાલ યુવા સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ, વિશાલભાઇ પંચાલ અને પંચાલ યુવા સંગઠનના વિવિધ જીલ્લાના પ્રમુખોએ ત્રિભોવનભાઇ પંચાલ અને તેમની ધર્મપત્નીની હત્યાના સંદર્ભે મુલાકાત કરી


મહીસાગર પંચાલ સમાજના અગ્રણી ત્રીભોવનભાઇ પંચાલ અને એમના ધર્મપત્નીની નીર્મમ હત્યા કરવામાં આવી હતી એના સંદર્ભમાં પંચાલ યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ પ્રમુખ વિશાલભાઇ પંચાલ અને દરેક જીલ્લાના પદાધીકારીઓ સ્થળ પર જઇ ધટનાની તપાસ કરી ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક અને ભા.જ.પા. ના મહીસાગર જીલ્લા પ્રમુખ, દસરથસિંહ બારીયા ની મુલાકાત લીધી હતી અને ધટનામાં સહેજ પણ ભીનું ન સંકેલાય અને યોગ્ય ન્યાયીક તપાસ કરી ગુનેગારને તાત્કાલીક જડપી પાડવામાં આવે તેવી માંગણી કરી હતી. પરીવારજનોને સાંત્વના આપી અને હત્યારા જલ્દી પડકાય તે માટે પ્રક્રીયા કરી હતી. જયા સુધી ગુનેગારો ના પકડાય ત્યા સુધી પંચાલ યુવા સંગઠન સતત પડખે ઉભુ રહેશે. 


જેમાં મહીસાગર જીલ્લા, ખેડા, અરવલ્લી, અમદાવાદ અને વિવિધ જીલ્લાના પદાધીકારીઓ  નીતીનભાઇ પંચાલ, ડેલીગેટ, કડાણા અને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.              


વધુંમાં વિશાલભાઇ પંચાલે લુહાર સમાજ સમાચાર ને જણાવ્યું છે કે જો આવતી કાલ સાંજ સુધીમાં ગુનેગારનું પગેરૂ નહી મલે તો પંચાલ યુવા સંગઠન સમગ્ર ગુજરાતમાં ન્યાય મલે તે માટે ગુનેગારો ના પકડાય ત્યા સુધી આંદોલન કે અનસન જે પણ કરવાનું થશે તે કરી ખરી લડત આપશે...

સાથે ગુજરાત ભરના વિવિઘ લુહાર/પંચાલ સમાજનાં સંગથન દળોએ પણ આ બાબતે પોતાનો મંતવ્ય વ્યક્ત કર્યું છે જે નિચે મુજબ છે..

1, પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટીમ)

જય વિશ્વકર્મા સાથે પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટીમ) મેમ્બર સુનિલભાઈ પંચાલે લુહાર સમાજ સમાચારને જણાવ્યું છે કે વિશ્વકર્મા સમાજ એક શાંત સ્વભાવવાળો સમાજ છે અને હંમેશા દરેક સમાજના લોકો સાથે હળીમળીને રહે છે. 

અમારા સમાજના આગેવાન એવા ત્રિભોવનભાઈ પંચાલ તેમજ તેમની પત્ની ની અજાણ્યા ઈસમો એ હત્યા કરી છે. આ ઘટના જાણીને અમે ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ. અમારી  પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટીમ) આવી ઘટનાને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ગુજરાત સરકાર શ્રી તેમજ પોલીસ S.P શ્રી ને વિનંતી કરીયે છીએ  કે આ અજાણ્યા ઈસમોને જલ્દી થી પકડી ને તેમને સખતમાં સખત સજા થાય તેવી કાર્યવાહી કરે. આવું ફરી થી બીજા કોઈ જોડે ના થાય એ માટે ગુનેગારો ને કાયદાની શક્તિ બતાવી ઝડપથી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે.
 
પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટીમ) આ દુઃખના સમયે પિડીત પરીવાર સાથે છે અને એમને ન્યાય મળે એવી સરકારને અમારી વિનંતી છે

2, લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેના દળ

બીજી તરફ ટૂંકસમયમાં પોતાની આગવી ઓળખ અને મજબૂત લુહાર સંગઠ્ઠન દળ ઊભું કરનાર લુહાર યુવા સમન્વય સિંહસ્થ સેનાનાં ગુજરાત પ્રદેશ પ્રભારી મંત્રીશ્રી પીન્ટુભાઈ રાઠોડ અને ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ હંસોરાએ  લુહાર સમાજ મોટાભાગે એક દમ સરળ અને શાંત સ્વભાવનો સમાજ છે અને હંમેશા દરેક સમાજના લોકો સાથે હળીમળીને રહે છે. 

અમારા સમાજના આગેવાન એવા ત્રિભોવનભાઈ પંચાલ તેમજ તેમની પત્ની ની અજાણ્યા ઈસમો એ હત્યા કરી છે. આ ઘટના જાણીને અમે ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ. અમારી  પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટીમ) આવી ઘટનાને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ગુજરાત સરકાર શ્રી તેમજ પોલીસ S.P શ્રી ને વિનંતી કરીયે છીએ  કે આ અજાણ્યા ઈસમોને જલ્દી થી પકડી ને તેમને સખતમાં સખત સજા થાય તેવી કાર્યવાહી કરે. આવું ફરી થી બીજા કોઈ જોડે ના થાય એ માટે ગુનેગારો ને કાયદાની શક્તિ બતાવી ઝડપથી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે.
 
પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટીમ) આ દુઃખના સમયે પિડીત પરીવાર સાથે છે અને એમને ન્યાય મળે એવી સરકારને અમારી વિનંતી છે

No comments:

Post a Comment